અસ્થમા ફેફસાંનો એક દીર્ઘકાલીન રોગ છે.
તાજેતરના એક અભ્યાસ મુજબ, દરેક ૧૦૦ ભારતીય બાળકોમાંથી આશરે ૮ બાળકોને અસ્થમા હોય છે.
આ સામાન્ય રીતે બાળપણમાં, પાંચ વર્ષની ઉંમર પહેલાં શરૂ થાય છે અને તે તમારા બાળકની શ્વાસ નળીઓને અસર કરે છે, જે ફેફસાંમાં હવા અંદર અને બહાર લઈ જતી નળીઓ છે.
જ્યારે તમારા બાળકને અસ્થમા હોય છે, ત્યારે તેની શ્વાસ નળીઓમાં સોજો આવી શકે છે અને તે સાંકડી થઈ શકે છે.
આનાથી ગળામાં સસણી બોલવી, ખાંસી અને છાતીમાં કસાવ થઈ શકે છે.
જ્યારે આ લક્ષણો સામાન્ય કરતાં વધુ ગંભીર બની જાય છે, ત્યારે અસ્થમાનો એટેક અથવા આકસ્મિક વધારો થાય છે.
બાળકોમાં અસ્થમાના મુખ્ય લક્ષણો3
બાળકોમાં અસ્થમાના લક્ષણોને ઓળખવા એ સમયસર હસ્તક્ષેપ અને આ દીર્ઘકાલીન શ્વસન રોગના અસરકારક સંચાલન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અસ્થમાના લક્ષણોના આવર્તન અને તીવ્રતામાં ફેરફાર આવી શકે છે.
માતાપિતાએ નીચેના ચિહ્નો માટે સતર્ક રહેવું જોઈએ:
શ્વાસ લેવામાં તકલીફ
ખાંસી, ખાસ કરીને રાત્રે અથવા કસરત/એલર્જી કરનાર પદાર્થના સંપર્ક દરમિયાન
ગળામાં સસણી બોલવી
છાતીમાં કસાવ અથવા દબાણ લાગવું
શ્વાસ લેવામાં તકલીફ
ખાંસી, ખાસ કરીને રાત્રે અથવા કસરત/એલર્જી કરનાર પદાર્થના સંપર્ક દરમિયાન
અસ્થમા મુખ્ય લક્ષણો
ગળામાં સસણી બોલવી
છાતીમાં કસાવ અથવા દબાણ લાગવું
બાળકોમાં અસ્થમાના થવાના કારકો4
બાળપણનો અસ્થમા પર્યાવરણીય અને આનુવંશિક પરિબળોના સંયોજનથી થાય છે.
જો તમારા બાળક અસ્થમાના કારકોના સંપર્કમાં આવે, તો અસ્થમાનો એટેક થઈ શકે છે.
વિવિધ કારકો વિવિધ પ્રકારના અસ્થમાનું કારણ બની શકે છે.
એલર્જીક અસ્થમા જે નીચેના કારકોના કારણે થાય છે
ધૂળની જીવાત
વૃક્ષો, ઘાસ, ઘાસ છોડના પરાગકણો
પાળતુ પ્રાણીઓ
ફૂગ
કીટકોમાંથી નીકળતો કચરો જેવા કે વંદા અને ઉંદરોથી થતો કચરો